CM અરવિંદ કેજરીવાલનો મોટો દાવો: ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે, ભાજપની સરકાર બની તો મોદી વડાપ્રધાન હશે નહીં
- 11 May, 2024
તિહાડ જેલમાંથી બહાર આવ્યા પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે લોકોને સંબોધ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા પછી લોકોને સંબોધતા કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મોટો દાવો કર્યો છે. પ્રથમ દાવો કરતા કેજરીવાલે કહ્યું કે આ વખતે લોકસભા ચૂંટણીમાં બીજેપી નહીં પરંતુ ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે. જોકે તેમણે એક મોટો દાવો કરતા કહ્યું કે જો બીજેપીની સરકાર બની તો નરેન્દ્ર મોદી આગામી વડાપ્રધાન હશે નહીં.
#WATCH | Delhi CM Arvind Kejriwal says "When I was in jail, some people raised this issue that why doesn't Arvind Kejriwal resign from the post of Delhi CM? I have not come to become CM or PM…In the last 75 years, elections have been held in so many states, AAP government was… pic.twitter.com/75cakV0TDt
— ANI (@ANI) May 11, 2024
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ લોકો ઈન્ડિયા ગંઠબંધનને પુછે છે કે તમારા વડાપ્રધાન કોણ છે, હું બીજેપીને પુછું છું કે તમારા વડાપ્રધાન કોણ હશે? લોકો કદાચ એ બાબત વિચારી રહ્યાં હશે કે આ તે કેવો સવાલ છે. નરેન્દ્ર મોદી જ પીએમ બનશે, જોકે આવું બનશે નહીં. સીએમ કેજરીવાલે આ અંગેનું કારણ આપતા જણાવ્યું કે પીએમ મોદી આગામી 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થઈ રહ્યાં છે. બીજેપીમાં વડાપ્રધાને પોતે એવો નિયમ બનાવ્યો હતો કે 75 વર્ષથી વધુ ઉંમરના નેતઓને રિટાયર્ડ કરવામાં આવશે.
સીએમએ કહ્યું લાલ કૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજનને તેમની ઉંમરના કારણએ રિટાયર્ડ કરવામાં આવ્યા છે. હવે નરેન્દ્ર મોદી 75 વર્ષના થવા જઈ રહ્યાં છે. હવે હું બીજેપીને પુછું છે કે તેમનો પીએમ ઉમેદવાર કોણ છે. મોદી આગામી પીએમ અમિત શાહને બનાવશે. તેના કારણે તેઓ પોતાના માટે વોટ માંગી રહ્યાં નથી પરંતુ અમિત શાહ માટે માંગી રહ્યાં છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ